॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨: સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે. ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે ‘વચનામૃત’માં કહ્યું છે જે, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે, તેવો હું વશ થાતો નથી જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું. ને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી. અજામેળ મહા પાપી હતો પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે કે મારાથી તો કાંઈ થાય નહીં. ત્યારે સાધુ તો દયાળુ છે તે છોકરાનું નામ ‘નારાયણ’ પડાવીને પણ મોક્ષ કર્યો.”

[સ્વામીની વાતો: ૧/૧૮૧]

Gunātitānand Swami says, “Where there is the great Sadhu, moral codes are observed, dharma is practiced and spiritual wisdom is attained. Also, where there is the Sadhu there are infinite virtues, and also God. So, as a result, the jiva becomes divine. In the Vachanāmrut, it is noted that God has said, ‘I am not as pleased by austerities, renunciation, yoga, observance of vows, donations or other endeavors as I am by the association of a Sadhu of complete inner purity.’ Having attained this satsang, the merits are limitless. Ajāmil was a grave sinner, but he met Sanakādik, bowed to them and said, ‘I will not be able to do anything.’ But sadhus are compassionate, so they named his son Nārāyan, and in this way he attained moksha.”

[Swāmini Vāto: 1/181]

નિરૂપણ

છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઇચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને સત્સંગી જ ક્યાં છે? ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઇચ્છા છે. ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે, કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહીં તેથી એકાંતિકનાં લક્ષણ સમજવાં.”

[સ્વામીની વાતો: ૫/૧૧૨]

After having Vachanāmrut Gadhadā III-2 read, Gunātitānand Swāmi said, “One who sees worth in anything else except Mahārāj, and desires to see something else (e.g. other wonders) is like one who lights a small lamp before the sun. Could he be called a satsangi? When this talk is understood, one will become mad. The fact that one does not become mad after understanding God’s glory is due to God’s will. To attain the company of the Ekāntik Sant is rare. All the work that God can do can be done by him. Not everyone has the company of God. Therefore, understand the virtues of the Ekāntik Sant.”

[Swāmini Vāto: 5/112]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase